15/02/2019
રીટાયર્ડ જનરલ બક્ષીએ ઈન્ડિયા ટીવી ઉપર આ હુમલા માટે સીધાજ મહેબુબા મુફતી ને જ જવાબદાર ગણી,.કરેલી વાત સમજવા અને વિચારવા જેવી છે.જયારે જવાનોની આ રીતે હેરાફેરી થતી હોય ત્યારે આગળ આગળ પેટ્રોલીંગ થતું હોયછે કે રસ્તા ઉપર સુરંગ તો બીછાવેલી નથી ને? જે ચેક થઇ ગયું હતું. પણ હુમલો મોટી માત્રામાં ભરેલ કાર અથડાવીને થયો.હવે આખો ખેલ અહીં થી શરુ થાય છે.સૌને યાદ હશે કે થોડા સમય પહેલાં આ હાઇવે પરની લશ્કર ની ચેક પોસ્ટ ઉપર એક ગાડી ને ચેકીંગ માટે અટકાવતાં તે ન અટકી અને બે આડશ તોડી ત્રીજી આડશ તરફ આગળ વધી ત્યારે જવાને ફાયરીંગ કર્યુ અને ગાડી સવાર મરાયો..દેશમાં વિરોધ પક્ષોએ હંગામો મચાવ્યો, લશ્કરને ઉતારી પાડી અનાપ શનાપ બકવાસ થયો..મહેબુબાએ પણ હંગામો કર્યો.સાથો સાથ એક મોટુ પાપ કર્યુ કે આ હાઇવેની ત્રણ ચેક પોસ્ટ હટાવરાવી અને લશ્કરના અધિકારીને જાહેરમાં માફી મંગાવી, અને ફાયરિંગ કરનાર જવાન આજે તિહાર જેલમાં છે............બરાબર .....હા...બરાબર વાંચજો.... જો મહેબુબા એ આ ચેક પોસ્ટો બંધ ન કરાવી હોતતો આટલો મોટો વિસ્ફોટક ભરેલી ગાડી પકડાઈ ગઇ હોત.જનરલ બક્ષીની વાત સમજવા જેવી છે.આ પાપ કરનાર પોતાના પ્રતિભાવમાં વાતચીતથી રસ્તો કાઢવાની સુફીયાણી સલાહ આપે છે.એ બાબત પણ યાદ કરવી જરુરી ગણાય કે મહેબુબાની નાની બેનનું આતંકવાદીઓએ અપહરણ કરેલુ જે આ તેની બેનને છોડાવવા જે આતંકવાદીને છોડ્યા તે જ પાકીસ્તાનમા લશ્કરે તૈયબાના સર્વે સર્વા છે.અને આ ઘટના પછી જ દેશમાં અને વિશેષ કાશ્મીરમાં આતંકવાદ વકર્યો.મહેબુબા એ મતના રાજકારણ અને આતંકવાદીઓને સપોર્ટ કરતાં સ્થાનિકો તરફની કુણી લાગણીથી જે ચેક પોસ્ટો હટાવી તે નબળી કડી નો આ તંકવાદીઓએ લાભ લીધો અને હુમલો કરવામાં સફળ રહયાં જેની કિંમત વીર જવાનોએ ચૂકવવી પડી.....
સ્વાર્થી રાજકારણીઓ ને ફીટકાર....
દેશના વીર શહીદ જવાનોને સલામ................
Jay Hind..